આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

શુક્રવાર, 6 એપ્રિલ, 2018

Fwd: મૂર્તિઓનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી (પર્યાવરણને હાનીકારક ન હોય તેવી રીતે) કરવા જાગૃતિ લાવવા બાબત


---------- Forwarded message ----------
From: GEER - NGC Gujarat <geer.ngc@gmail.com>
Date: 2018-04-06 16:29 GMT+05:30
Subject: મૂર્તિઓનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી (પર્યાવરણને હાનીકારક ન હોય તેવી રીતે) કરવા જાગૃતિ લાવવા બાબત
To:


માત્ર ઈ-મેઇલ દ્વારા
પ્રતિ,
• જિલ્લા કલેક્ટરશ્રી, તમામ
• નાયબ વન સંરક્ષકશ્રી, સંબંધિત તમામ
• જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ
• જિલ્લા સંકલનકારશ્રી, તમામ
• આચાર્યશ્રી, એન.જી.સી ઇકો ક્લબ શાળા
• ઇકો ક્લબ ટીચર ઇન્ચાર્જશ્રી, એન.જી.સી ઇકો ક્લબ શાળા


ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સાથે સંકળાયેલ સંસદ સભ્યોની સલાહકારી સમિતિની બીજી બેઠક સંસદ ગૃહમાં તા. 04-08-2017ના રોજ યોજાયેલ હતી. જેમાં આપવામાં આવેલ સૂચનો પૈકી એક સૂચન ધાર્મિક વિધિ, ક્રિયાઓ કે ઉત્સવો બાદ દરમિયાન મૂર્તિઓનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી (પર્યાવરણને હાનિકારક ન હોય તેવી) રીતે કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનું હતું.
 

મૂર્તિઓનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી (પર્યાવરણને હાનીકારક ન હોય તેવી રીતે) કરવા માટે નીચેના પગલા લેવા:

• મૂર્તિઓ બનાવવા માટે માટીનો ઉપયોગ કરવો.
• શણગાર માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવો.
• કુદરતી રંગોનો ઉપયોગ કરો જેમ કે મહેંદી, હળદર અને ચોખા પાવડર.
• થર્મોકોલ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહિ. કાપડ, કાગળ, લાકડું અને અન્ય કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવો.
• બાયોડિગ્રેડેબલ (કુદરતી રીતે વિઘટન થઈ શકે તેવા પદાર્થો) સામગ્રીથી બનાવવામાં આવેલ ધાર્મિક મૂર્તિઓ ખરીદવી.

વધુમાં જણાવવાનું કે મંત્રાલયે "ગ્રીન ગૂડ ડીડ્ઝ" (આ સાથે સામેલ કરેલ છે) તૈયાર કરી છે, જે તેના અમલીકરણ અને લોકજાગૃતિ માટે ફેલાવો કરવો. તમે શાળા અને કૉલેજોમાં માહિતીનો  વ્યાપકપણે પ્રચાર થાય તેમજ શાળા/કૉલેજ દ્વારા રેલી, ઝુંબેશો, શેરી નાટકો વગેરે દ્વારા જન જાગૃતિ ફેલાવવા નૅશનલ ગ્રીન કૉર્પ્સ કાર્યક્રમ અંતર્ગત માહિતીનો પ્રસાર કરવાની વિનંતી છે. આ માહિતી આપ આપની વેબસાઈટ પર અપલોડ કરી શકો છો. આ અંગે કોઈપણ પ્રવૃત્તિનો અહેવાલ ફોટોગ્રાફ સાથે મોકલી આપવા વિનંતી છે જેથી સંસદના સભ્યોની સલાહકારી સમિતિની આગામી બેઠકમાં આ અંગે એકીકૃત અહેવાલ આપી શકાય.

 
(આર.ડી. કમ્બોજ)
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક અને નિયામક,
'ગીર' ફાઉન્ડેશન,
ગાંધીનગર



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો